તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ 15.વાસી અને તાજું મન.

તાજું, યુવા અને જીવંત અધ્યાત્મ 15.વાસી અને તાજું મન.

આપણું મન એક મૂલ્યવાન અને અદ્ભુત ચીજ છે,જો ઉપયોગ કરતાં આવડે તો.વિચાર પેદા કરવો એ તેનું મહત્ત્વનું કાર્ય છે.વિચાર વગરનું તે હોતું જ નથી, અને હોય તો તે કદી થાકે જ નહિ. આપણાં મન ભૂતકાળમાં રમતાં હોય છે.તે આશાઓ અને ઈચ્છાઓનાં યુદ્ધમેદાનો છે.તે એકલું રહી શકતું ન હોવાથી વિચારકને પેદા કરે છે આ મન શબ્દો,વિધિઓ,પ્રણાલિકાઓ, માન્યતાઓ અને પ્રતિકોમાં પકડાયેલું હોય છે. આપણાં મન ખેડે છે, વાવે છે અને લણે છે.પણ પડતર રહેતાં નથી.જો મન સંપૂર્ણ ખાલી થઈ જાય તો તેમાં સત્ય ઊતરી આવે છે.